-
રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ
-
શ્રી રામ સેવા સમિતિ દ્વારા પરંપરાગત હાથી,ઘોડા સાથે રથયાત્રા નિકળશે
-
રાજકીય નેતાઓ બપોરે ૧-૦૦ કલાકે લીલી ઝંડી આપી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે
-
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા આગામી ૩૦-૩-૨૦૨૩ ગુરુવારના રોજ શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત ૪૨મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા શહેરમાં ભગવાન શ્રી રામની નીકળનારી ભવ્ય શોભાયાત્રાની શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ ડો. જી.કે.પટેલ સહિત આગેવાનો અને રામ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ રથયાત્રાના પ્રસ્થાન સમારોહમાં અગ્રણી નેતાઓ, પૂજ્ય સાધુ સંતો અને અગ્રણી મહાનુભાવિો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.